Physical Address

23,24,25 & 26, 2nd Floor, Software Technology Park India, Opp: Garware Stadium,MIDC, Chikalthana, Aurangabad, Maharashtra – 431001 India

આબોહવા પરિવર્તનને કારણે 2060 સુધી ઉત્તર ભારતમાં ચોખ્ખા પાણીની ઉપલબ્ધતા માટે ગંભીર સમસ્યા ઉદભવી શકે છે

Translated by: Dhiraj Vyas

  • આબોહવા પરિવર્તને કારણે તિબેટીયન ઉચ્ચપ્રદેશ પરના જમીની જળ સંગ્રહમાં ગંભીર પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે
  • ડાઉનસ્ટ્રીમમાં રહેતા લગભગ 2 અબજ લોકો વહેતા પાણી માટે ‘તિબેટીયન ઉચ્ચપ્રદેશ’ પર નિર્ભર છે
  • આબોહવા પરિવર્તનને કારણે ઉત્તર ભારત અને એશિયામાં તેની નજીકના વિસ્તારોને 2060 સુધીમાં મોટી ‘પુન:પ્રાપ્ય ચોખ્ખા પાણીની અછત’નો સામનો કરવો પડી શકે છે
  • આગામી દાયકાઓમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય તેની ખાતરી કરવા માટે સખત આબોહવા નીતિઓની જરૂર છે
  • સઘન ભૂગર્ભજળ નિષ્કર્ષણ અને જળ ટ્રાન્સફર પ્રોજેક્ટ જેવા વૈકલ્પિક પાણી પુરવઠા સ્ત્રોતોને અપનાવવા જરૂરી છે

આબોહવા પરિવર્તન ઉત્તર ભારત કે જે દેશનો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રદેશ છે તેમાં વહેતા પાણીની ઉપલબ્ધતા માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે. તાજેતરના અભ્યાસ મુજબ, તિબેટના ઉચ્ચપ્રદેશમાં પાણીના સંગ્રહ અંગેના અત્યાર સુધીના સૌથી વ્યાપક અભ્યાસ તરીકે ગણવામાં આવે છે, ઉત્તર ભારત અને એશિયામાં તેની નજીકના વિસ્તારોમાં, નબળી આબોહવા નીતિને કારણે આબોહવા પરિવર્તન થવાથી 2060 સુધીમાં મોટી પુન:પ્રાપ્ય ચોખ્ખા પાણીની અછત’નો સામનો કરવો પડશે.

જર્નલ નેચર ક્લાઈમેટ ચેન્જમાં પ્રકાશિત થયેલા અભ્યાસ, ‘ક્લાઈમેટ ચેન્જ તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર જમીનીસ્તરમાં રહેલા જળના સંરક્ષણને જોખમમાં મૂકે છે’ શીર્ષકમાં જણાવાયું છે કે, નબળી આબોહવા નીતિઓ હેઠળ, આબોહવા પરિવર્તન આ પ્રદેશમાં પાણીની ઉલટાવી શકાય તેવી અછતનું કારણ બનશે. પેન સ્ટેટ, સિંઘુઆ યુનિવર્સિટી અને ઓસ્ટિન ખાતે સિંઘુઆ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળના સંશોધનો દર્શાવે છે કે, 2060 સુધીમાં મધ્ય એશિયા, અફઘાનિસ્તાન, ઉત્તર ભારત, કાશ્મીર અને પાકિસ્તાનમાં પાણીનો પુરવઠો ગંભીર રીતે જોખમમાં આવી શકે છે.

એક અભ્યાસ મુજબ, મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનમાં પાણી પુરવઠા પ્રણાલીમાં સંપૂર્ણ પતનનો અનુભવ થઈ શકે છે જ્યારે ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં સદીના મધ્ય સુધીમાં પાણી પુરવઠા પ્રણાલી લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ થઈ શકે છે.

અભ્યાસના સહ-લેખકોમાંના એક, યુનાઈટેડ સ્ટેટ્સમાં પેન સ્ટેટ ખાતે વાતાવરણીય વિજ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રોફેસર માઈકલ માને જણાવ્યું હતું કે, “ભાવિ સ્થિતિ સારી દેખાતી નથી.” જો આજ પરિસ્થિતિ જળવાઈ રહે અને આપણે આવનારા દાયકાઓમાં અશ્મિભૂત બળતણના બર્નિંગને અર્થપૂર્ણ રીતે ઘટાડવામાં નિષ્ફળ જઈશું, તો તિબેટીયન ઉચ્ચપ્રદેશની નીચેના વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતામાં – એટલે કે લગભગ 100 ટકાનો ઘટાડો થઈ શકે છે. “

તિબેટીયન ઉચ્ચપ્રદેશ

ડાઉનસ્ટ્રીમમાં રહેતા લગભગ 2 અબજ લોકો પાણી માટે એશિયાના ‘વોટર ટાવર’ તરીકે પ્રખ્યાત ‘તિબેટીયન ઉચ્ચપ્રદેશ’ પર આધાર રાખે છે. તેને કેટલીકવાર ‘ત્રીજો ધ્રુવ’ કહેવામાં આવે છે કારણ કે, બે ધ્રુવો પછી, તે સ્થિર સ્વરૂપમાં પાણીનો એકમાત્ર સૌથી મોટો વૈશ્વિક જળાશય છે. તે આસપાસના વિસ્તારોમાં મોટા ભાગના સ્ટ્રીમ્સ અને નદીના તટપ્રદેશો માટે પાણીનો સ્ત્રોત છે. ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનને કારણે આ પ્રદેશમાં પાણીના સ્રોત ઝડપથી પીગળી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને કારણે હવે આ ક્ષેત્રમાં પાણીના સ્રોત ઝડપથી પીગળવાના અહેવાલો પણ બહાર આવ્યા છે. જેમ-જેમ આ થીજી ગયેલા પાણીના ભંડાર દરિયામાં ડૂબી રહ્યા છે, તે સમુદ્રની સપાટીમાં વધારો કરવામાં પણ યોગદાન આપી રહ્યા છે.

તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર તળાવો, હિમનદીઓ અને મુખ્ય નદીના તટપ્રદેશો. સ્ત્રોત: https://doi.org/10.1038/s41558-022-01443-0

ઉપરોક્ત અભ્યાસમાં સામેલ સંશોધકોએ જણાવ્યું હતું કે, આ પ્રદેશને લાંબા સમયથી આબોહવા પરિવર્તનનું હોટસ્પોટ માનવામાં આવે છે, તેમ છતાં તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં જમીની જળ સંગ્રહ પર આબોહવા પરિવર્તનની અસરનું યોગ્ય રીતે સંશોધન કરવામાં આવ્યું નથી.

સાયન્સ ડાયરેક્ટ મુજબ, “પૃથ્વી પરના જળ સંગ્રહને જમીનની સપાટી પર અને જમીનની સપાટી પરના તમામ પાણીના સરવાળા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. આમાં સપાટીની જમીનનો ભેજ, રુટ ઝોનની જમીનનો ભેજ, ભૂગર્ભજળ, બરફ, વનસ્પતિ, નદીઓ અને તળાવોમાં સંગ્રહિત પાણીનો સમાવેશ થાય છે.

ચીનની સિંઘુઆ યુનિવર્સિટીના હાઈડ્રોલોજિકલ એન્જિનિયરિંગના સહયોગી પ્રોફેસર ડી લોંગે જણાવ્યું હતું કે, “તિબેટીયન ઉચ્ચપ્રદેશ લગભગ 2 અબજ લોકોને પાણી પૂરું પાડે છે અને તે આબોહવા પરિવર્તન માટે ખૂબ જ સંવેદનશીલ છે.”

પ્રક્રિયા

સંશોધન ટીમે ગ્લેશિયર્સ, સરોવરો અને ભૂગર્ભ સ્ત્રોતોમાં પાણીના જથ્થાના સેટેલાઈટ-આધારિત અને જમીન-આધારિત માપનો ઉપયોગ કરીને છેલ્લા બે દાયકામાં પાણી અને બરફના જથ્થામાં ચોખ્ખા ફેરફારો તેમજ હવાના તાપમાનમાં વધારો અને વાદળોના આવરણને નિર્ધારિત કરવા માટે મશીન લર્નિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આવા સંજોગોમાં અનુમાનિત આગામી ચારમાં ઘટાડો થાય છે.

નોંધનીય હકીકત એ છે કે, સંશોધકો અગાઉના અભ્યાસોની તુલનામાં સેટેલાઈટ-આધારિત અને જમીન-આધારિત પદ્ધતિઓ વચ્ચે સુસંગતતા સ્થાપિત કરવામાં સફળ થયા હતા જે એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે, આ અભ્યાસમાંના તારણો વધુ વિશ્વાસપાત્ર છે.

તથ્યો

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જળ સ્તરમાં નોંધપાત્ર ઘટાડા માટે જળવાયુ પરિવર્તનનું યોગદાન છે. 2002-2017 ના સમયગાળા દરમિયાન, તિબેટીયન ઉચ્ચપ્રદેશના કેટલાક વિસ્તારોમાં TWS (15.8 ગીગાટન/પ્રતિવર્ષ) માં ઘટાડો અને અન્ય વિસ્તારોમાં TWS (5.6 ગીગાટન/પ્રતિવર્ષ) માં વધારો થયો હતો જે આખરે કુલ 10.2 ગીગાટન/પ્રતિવર્ષનો ઘટાડો થયો હતો તે ગણતરી કરવામાં આવી છે.

જમીની જળ સંગ્રહ વિસંગતતાઓનું અવલોકન અને અંદાજ. સ્ત્રોત: https://doi.org/10.1038/s41558-022-01443-0

અભ્યાસ આગળ સૂચવે છે કે, કાર્બન ઉત્સર્જનને મધ્યમ સ્તરે રાખવાથી, 21મી સદીની શરૂઆતની આધારરેખાની સરખામણીમાં તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં 21મી સદીના મધ્ય સુધીમાં લગભગ 230 ગીગાટન પાણીની ચોખ્ખી ખોટ જોવા મળી શકે છે. અનુમાનો અનુસાર, આના પરિણામે ઉત્તર ભારતને પાણી પૂરું પાડતા સિંધુ બેસિનમાં પાણી પુરવઠાની ક્ષમતામાં 79% ઘટાડો થશે.

લોંગ કહે છે, “અમારો અભ્યાસ ઉચ્ચ પર્વતીય સ્થળોએ પાણીના પુરવઠાની આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, જે મોટી એશિયન વસ્તી દ્વારા સેવા આપવામાં આવે છે, જે હાઈડ્રોલોજિકલ પ્રક્રિયાઓથી પ્રભાવિત છે.” “છેલ્લા કેટલાક દાયકાઓમાં અને ભવિષ્યમાં 2060 સુધીમાં આબોહવા પરિવર્તન અને TWS વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓની તપાસ કરીને, આ અભ્યાસ ભવિષ્યના સંશોધન અને સરકારો અને સંસ્થાઓ દ્વારા વધુ સારી અનુકૂલન વ્યૂહરચનાઓના સંચાલનને માર્ગદર્શન આપવા માટે સેવા આપશે.”

શમન

નિષ્ણાતો કહે છે કે, આગામી દાયકાઓમાં કડક આબોહવા નીતિઓ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો સુનિશ્ચિત કરવા ઉપરાંત, પાણી પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોતો જેમ કે, ભૂગર્ભજળ ડ્રેનેજ અને વોટર ટ્રાન્સફર પ્રોજેક્ટ ગંભીર જળ સંકટને પહોંચી વળવા જરૂરી છે.
માને વધુમાં ઉમેર્યું છે કે, “જો આગામી દાયકામાં કાર્બન ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટશે… વધુ પડતી ગરમી અને સંબંધિત આબોહવા પરિવર્તન મર્યાદિત હોઈ શકે છે જે તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર પાણીના ટાવર્સનું પતન અટકાવી શકે છે. પરંતુ શ્રેષ્ઠ સંજોગોમાં પણ, વિશ્વના આ સંવેદનશીલ, અત્યંત વસ્તીવાળા પ્રદેશમાં ઘટતા જળ સંશાધનોને અનુરૂપ જીવનશૈલીની આવશ્યકતા માટે, કેટલાક પતન અનિવાર્ય છે.

Also, read this in English

Anuraag Baruah
Anuraag Baruah
Articles: 7